ઈસુએ તેને ઉત્તર દીધો કે, જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે. પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ; પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે. યોહાન ૪:૧૩-૧૪.(૧-૧૫). *આજનો વિચાર->* ખ્રિસ્તમાં અતી પ્રિય વ્હાલા મિત્રો, પ્રભુ ઈસુના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. સમરુની બાઈ... આપ સર્વ એનાથી વિદીત છો જ એટલે આખી વાત નથી કરતો, સીધા મુળ વાત પર આવીએ પણ એટલું ચોક્કસ કહીશ કે આ વાતની શરુઆત સમરુની બાઈની શારીરિક તૃષાથી શરુ થાય છે જેનો સુંદર અંત પ્રભુ ઈસુ આત્મિક તૃષા છીપાવીને લાવે છે. જળ એ જીવન છે. જળ વિના સંસાર-જીવ સૃષ્ટીની કલ્પના કરી જ ના શકાય. ઈશ્વરે આપેલ અદ્દભુત આશિર્વાદ પણ એક વાર પીધે પાર નથી આવતો વારંવાર પીવું પડે, સતત પીવું પડે ના પીવો તો સોસ પડે તકલીફ થાય અને હાલ પાછો ઉનાળો એટલે વધારે જરુર પડે. વચનમાં પ્રભુ પણ એજ કહે છે, "જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે". જે પાણી ભરવા આ સમરુની બાઈ આવી છે. પણ જે પાણી પ્રભુ આપે છે તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ,ઉપરથી તે જે તે જીવનમાં, વ્યક્તીમાં જીવનનો ઝરો થશે, જે અનંતજીવન સુધી ઝર્યા કરશે. સ્રીની વીનંતી-> પ્રભુ,તે પાણી મને આપ કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે ભર બપોરે બળબળતા તડકે આટલે દુર આવવું ન પડે. એકદમ સહજ-સરળ-સ્વાભાવીક વાત પણ છે માર્મીક સમજાય જાય તો ભયો ભયો... માણસનો જન્મ એ આ સ્રીના ઘરેથી બહાર નીકળવા બરાબર, એ પાણી ભરવા નીકળી એમ માણસ સંસારમાં ભવસાગરમાં મોક્ષ-તારણ-ઉદ્ધાર-પામવા નીકળે છે,બેડો પાર થાય, આ આંટા-ફેરા મટે ને અહિતહી ભટકવું મટે ને પાર આવે. આ શારીરિક તરસ જેવું છે, જે વારંવાર લાગે,તરસ લાગે, માણસ પાણી શોધે ભરવાય જાય પણ તરસ તો ત્યાંની ત્યાં જ. એનો ઉકેલ પ્રભુ ઈસુ પાસે છે. "જે કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ, શાસ્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે". (યોહાન ૭:૩૭-૩૮). હા,મિત્રો,વિશ્વાસ કરી પ્રભુ પાસે આવનારની આત્મિક તરસ તો છીપશે જ એ સાથે એ પોતે અન્ય-બીજાઓની આવી આત્મિક તરસ છીપાવવાનું પાત્ર-માધ્યમ-સ્રોત બની જશે. કારણ કે પ્રભુ કહે છે, "પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે" (૪:૧૪).."..તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે".(૭:૩૮). જોયું એક સમયનો શોધક પ્રભુ પાસે આવવાથી પોતે એનો વાહક બની અન્યોની આત્મિક તરસ છીપાવે છે આ એ કદી ન સુકાનાર કલકલ વહેતી જીવંત નદી-ઝરણા જેવું છે જે જ્યાંથી વહે છે ત્યાંના તમામ જીવોની તરસ છીપાવે છે આ એ નહેર છે જેનું મુળ એટલે ડેમ એ પ્રભુ ઈસુ છે, જે જ્યાંથી વહેશે જ્યાંથી પસાર થશે ત્યાના તમામ જીવોની તૃષા છીપાવશે... એ બંધિયાર તળાવ કે ખાબોચિયું નથી કે સમય જતા તેનું પાણી બગડી જાય,ગંધાય,ન પીવાય કે ન વપરાય પણ એ તો ઝરો છે, જીવતી નદી છે.જે સદા વહે છે. જેને એ જીવનનું જળ મળ્યું છે, એનું જીવન,નમુનો,સાક્ષી,છાપ, અસર કંઈક આવી હશે. જીવનના ઝરા જેવી જીવતા પાણીની નદી જેવી. જેનો મુળ સ્રોત પ્રભુ ઈસુ છે. મળ્યું છે તો અભિનંદન.. પણ શું એ વહે છે ખરુ?, લોકોની તરસ છીપાવે છે ખરું?. અને જો હજી નથી મળ્યું તો આ સ્રીની જેમ વિનંતી કરો.. કે પ્રભુ તે પાણી મને આપો. "આત્મા તથા કન્યા બન્ને કહે છે કે,આવ.જે સાંભળે છે તે એમ કહે છે કે,આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે."(પ્રકટીકરણ ૨૨:૧૭). પાણી આપ પ્રભુ તૃષિત છું, પાણી આપ મને. ન કો નદીનું ન કો કૂવાનું જોઈએ જળ મુજને. એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને. સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને. પ્રભુ ઈસુ તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે. તરસનિવારક જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને. (ભ.સં.ગીત ન.૩૧૪. કર્તા-એન.વી.ટીળક. અનુ.ડી.પી.મકવાણા.). પ્રભુ સહાય કરો. આમીન. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nPZ-KqVDu84.htmlsi=pNtajc8BYmn9_bCu Subscribe,Like,Coment & Share. નેટ ચાલતું ન હોવાથી આજે મોડું થયુ છે ક્ષમા કરશો. 🙏🏻ધન્યવાદ🙏🏻 G.M.GOD BLESS YOU. સુનીલ વસાવા,નેત્રંગ. ૧૬/૪/૨૦૨૪.