‘વસુંધરાની વાણી’ વહેવારની ભાષામાં જ પૂરાઈને રહેતા આપણા જીવને કુદરતી બનાવવાની લગની રાખે છે. ભારતભરના કવિ, ભજનિકોને, શબદના બંદાઓએ ઝીલેલી ધારા સજીવન કરીને ગુજરાતના ગ્રામીણ તથા શહેરીજનોના કાનથી તેમની જીભ લગી પહોંચવાનો આ પ્રયાસ છે. ધર્મ, જાતિ, પ્રતિષ્ઠામાં વહેચાયેલા મનને એકાત્મતા તરફ લઈ જાય તેવી, માનવીય ભાવસભર ઉત્તમ કૃત્તિઓ રજૂ કરવા સન્મુખ રીતે થતાં ગાન અને શ્રવણની એક ઉદ્દાત્ત જીવનશૈલીને સમજવા માટે જનગણ વચ્ચે જઈને ગાયન કે પઠન કરનારા સાથે શબ્દ-સૂરનો નાતો રચવાની પ્રવૃત્તિ એટલે વસુંધરાની વાણી; વસુ એટલે રત્નો અને તેને ધારણ કરતી મંજૂષા ધરતીનાં રત્નો સમા સાહિત્યભંડારનું ઢાંકણું ગીત અને સંગીત કે લયબદ્ધ પઠન-કથનની કૂંચીથી ખોલવા તેના અહા-અહો તેજથી નાના ને નમણાં મનની સુંદરતાને પ્રગટાવવાનો પ્રયત્ન એટલે ‘વસુંધરાની વાણી’ Vasundhraa’s Baani is aspiring to make our life softer, more intuitive and emotionally charged by the Baani we live by the Baani emerged into various forms of folk literature, and many poets, folklorists, and storytellers have kept it alive both in Gujarat and in India.