વિષય :- યુધ્ધ નો સદુપયોગ આજે તા. 28/04/2020 ના રોજ રામગતિ પ્રભુ ના સત્સંગ દ્વારા હું સમજી શકયો કે.. (૧) જે પશુઓને ખાય છે તે પશુ છે તે મનુષ્ય નથી જો કે તેમનું શરીર મનુષ્યનું છે છતાં પણ તે મનુષ્ય નથી.. (૨) જ્યાં સુધી પરમ ભોક્તા સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી જીવો સંતુષ્ટ નહીં થાય. (૩) જ્યારે સુસંસ્કૃત થઈએ ત્યારે મનુષ્ય કહેવાય. આધ્યાત્મિક ચેતનામાં પ્રગટ થવું પડે (૪) આધ્યાત્મિક ચેતના ના સ્તર પર આવવા માટે સમાજને વિભાજિત કરવો જોઇએ. (૫) સમાજમાં અત્યારે જે દ્વેષ અને તકલીફો ઉભી થઇ છે તેનું મૂળ કારણ ભગવદ્ ગીતાનું યથાર્થ પાલન નહીં થવાને કારણે . (૬) જેની અંદર ધર્મનું આચરણ નથી તે મનુષ્ય નથી. (૭) માનવ જીવનનો ઉદ્દેશ કૃષ્ણભાવનામૃત નો વિકાસ કરવાનો છે. (૮) વ્યક્તિએ અવશ્ય વર્ણાશ્રમ ધર્મ ચાર સામાજિક વિભાગ અને ચાર અધ્યાત્મિક વિભાગના સ્તર પર આવવું. તે વિભાગ શ્રીકૃષ્ણ બનાવેલા છે. (૯) ભૌતિક જીવનનો ઉદ્દેશ શ્રી કૃષ્ણ ભગવાનથી અનાસક્ત થવું છે. (૧૦) ભગવાનથી અનાસક્તા દુઃખનું કારણ છે. (૧૧) ભગવાન વિષ્ણુની આરાધના વર્ણ અને આશ્રમના નિર્ધારિત નિયત કર્મના આધારે કરવામાં આવે છે. (૧૨) વ્યક્તિ અવશ્ય ચાર વર્ણ અને આશ્રમમાં સ્થિત થવું જોઈએ. (૧૩) ભગવાનના વિશ્વ ગ્રુપમાંથી ચાર વર્ણો ઉત્પન્ન થયા છે. (૧૪) ભગવાનના દર્શન કરવા માટેની વિધિ ભગવાનના ચરણ થી શરૂ થાય છે. (૧૫) અદંત્ય નો અર્થ ગળી જવું (૧૬) જ્યારે કોઈ શક્તિશાળી થઈ જાય અને એનો દુરુપયોગ થાય ત્યારે ભુ ભાર વધે છે. ભું ભાર એટલે પૃથ્વી ઉપર ભાર. (૧૭) જ્યારે યદુ ઓ શક્તિશાળી થઈ ગયા અને ખોટી રીતે લોકોને હેરાનગતિ કરવા માંડ્યા ત્યારે પૃથ્વી ઉપર ભાર ખૂબ વધી ગયો એટલે ભગવાને એમને પરસ્પર યુદ્ધમાં રાખીને સર્વ વિનાશ કર્યો. જો મારી સમજણ માં કઈ ભૂલ હોય તો જણાવજો... હરે કૃષ્ણ... ભક્ત ભૌમિક
વિષય :- સાચું જ્ઞાન અને તેનો પ્રચાર આજે તા. 27/04/2020 ના રોજ રામગતિ પ્રભુ ના સત્સંગ દ્વારા હું સમજી શકયો કે.. (૧) શાશ્વત અને અમરત્વ શું છે તે આધુનિક સમાજના લોકો ને ખબર જ નથી.. (૨) વેદ નું જ્ઞાન સ્પષ્ટ અને અપરીવર્તિત છે.. (૩) જો આપણે સાચું જ્ઞાન ઈચ્છીએ છીએ તો જ્ઞાનના સ્ત્રોત એવા વેદોની પાસે જવું પડે.... (૪) વેદ ભગવાન માંથી આવે છે. વેદ અને ભગવાન અભિન્ન છે.. (૫) સમાજમાં વિદ્વાન આચાર્ય માટે નું પ્રમાણ છે શ્રુતિ.. (૬) બધ્ધ જીવો ની દ્રષ્ટિ દૂષિત અને અપૂર્ણ હોય છે.. (૭) ક્યારેય મત મુજબ ભગવાન અને જ્ઞાન નકકી ના થાય.. (૮) વેદોનું જ્ઞાન ત્રુટિ વિનાનું છે અને બધ્ધ જીવ નું જ્ઞાન ત્રુટિ વાળું છે. ૪ પ્રકારની ત્રુટીઓ બ્રહ્મમાં પડવું, અપૂર્ણ ઇન્દ્રિય, ભૂલો કરવી, છેતરપિંડી... (૯) જે લોકો ભગવદગીતા ને સમજી શકતા નથી અને ભગવદ ગીતા પર ટીકા કરે છે તેવા લોકો જનસમાજ ની સાથે દગો કરે છે... (૧૦) સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરૂ ની આવશ્યકતા છે.. (૧૧) વાસ્તવિક જ્ઞાન સમજવા માટે જેને ગુરૂ પરંપરા માં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા મુકતઆત્માં પાસે જવું પડે.. (૧૨) ગુરૂ પાસે જઇને સત્ય શીખવાનો પ્રયાસ કરવો જોઈએ અને સત્ય એકજ છે ભગવાન શ્રી કૃષ્ણ.. (૧૩) જો આપણે ગુરૂ પાસે નહિ જઈએ તો અંધકાર માં જ રહીશું... (૧૪) શ્રી કૃષ્ણ નું શરણ જો સ્વીકારીએ તો કંઈ કરવાનું બાકી રેહતું નથી.જો તમે પૂરી રીતે શ્રી કૃષ્ણ શરણું લઇએ તો માયા શું છે તે તમે જાણી શકશો.. (૧૫) ગુરૂ અને ભગવાન ની કૃપા થી ભક્તિ માં પ્રવેશ કરી શકીએ છીએ.. (૧૬) શ્રી કૃષ્ણ પ્રમાણિક ગુરૂ પાસે લઈ જાય અને પ્રમાણિક ગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય... (૧૭) ગુરૂ દરેક રૂપથી ભગવાનના સાક્ષાત પ્રતિનિધિ છે (૧૮) અવિદ્યા ભૌતિક જ્ઞાન છે. અવિદ્યા દ્વારા વાસ્તવિક જ્ઞાન ન જાણી શકાય... (૧૯) ભૌતિક વિજ્ઞાન માં આગળ વધવું એટલે માયામાં પ્રગતિ કરવી.. (૨૦) વૈદિક જ્ઞાન ના મૂળ ગુરૂ વેદ વ્યાસ છે... જો મારી સમજણ માં કઈ ભૂલ હોય તો જણાવજો... હરે કૃષ્ણ... ભક્ત ભૌમિક
વિષય :- સંપૂર્ણ સંતોષ નો અનુભવ આજે તા. 25/04/2020 ના રોજ રામગતી પ્રભુ ના સત્સંગ દ્વારા હું સમજી શક્યો કે..... (૧) ભૌતિક જગત માં વ્યક્તિ દુઃખો દૂર કરીને સુખી થવાનો પ્રયાસ કરે છે પરંતુ ભૌતિક જગત માં ત્રિવિધ તાપ સહન કરવા પડે છે (૨) ત્રિવિધ તાપ ➡️ આધ્યત્મિક , આદિ દૈવિક , આદિ ભૌતિક. આધ્યાત્મિક દુઃખ એટલે આપણે પોતે પોતાના મન અને શરીર થી ઉત્પન્ન થતા દુઃખો. આદિ ભૌતિક દુઃખ એટલે અન્ય જીવો દ્વારા આપવામાં આવતું દુઃખ. આદિ દૈવિક દુઃખ એટલે દેવતાઓ દ્વારા આપવામાં આવતું દુઃખ. (૩) કૃષ્ણભાવનામૃત આંદોલન દ્વારા પોતાની ભાવના ને કૃષ્ણભાવનામૃત માં પરિવર્તિત કરી ને દુઃખો માંથી મુક્ત થઈ શકાય છે.. (૪) અજ્ઞાન એ દુઃખ નું કારણ છે કારણ કે આપને ભૂલી ગયા છે આપણે કૃષ્ણ ના અંશ છે.. (૫) જ્યારે કૃષ્ણ ને ભૂલી ને ભોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે માયા આપની નિકટ હોય છે અને આપણા ને દંડિત કરે છે.. (૬) ભૌતિક જગત માં કીડી થી લઈને બ્રહ્મા સુધી ના દરેક જીવ સ્વામિત્વ કેળવવાનો પ્રયાસ કરે છે. (૭) ભૌતિક જગત ના સ્વામી બનવાના ચકકર માં આપને ઇન્દ્રિય ના દાસ બની ગયા છે. (૮) જો આપને કૃષ્ણ ની સેવા માટે સહમત થઈ જઈએ ત્યારે આપણે જોઇશું કે કૃષ્ણ પણ આપની સેવા કરી રહ્યા છે.. (૯) શાશ્વત લાભ ત્યારે થશે જ્યારે આપને કૃષ્ણ નું શરણ સ્વીકારીશું... જો સમજવામાં ભૂલ હોય તો જણાવજો.. હરે કૃષ્ણ.. ભક્ત ભૌમિક..