ઓડ શહેરમા શેરી ગરબાની પરંપરા જાળવવા પાટીદાર સમાજની પાંચ ખડકીની મહિલા દ્વારા સરદાર ચોકમા નવરાત્રિ મહોત્સવનું આયોજન નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ક્યારેક અંગત સંબંધોના તાણાવાણા ની ખેંચતાણ અને ખટરાગમાં અટવાઈ ગયેલ પાંચ પોળના પરિવારજનોએ એક સંપ થઈ ગરબાનું આયોજન કરતા નગરમાં પણ હરખ વ્યાપ્યો છે.
આણંદના ઓડ શહેર મા સમસ્ત લેઉઆ પાટીદાર મહિલા સમૂહ મંડળ- ઓડ માઁ મહિલા ગરબા મંડળ ધ્વારા સરદાર ચોક ગાયત્રી મંદિરના પરિસર માં ભવ્ય નવરાત્રિ મહોત્સવ - ૨૦૨૪ નું આયોજન કરવામા આવ્યું છે. સરદાર ચોક, બાવાજી ની ખડકી, રતનજી ની ખડકી, સોલાભાઈ ની ખડકી (ભવન દાસ નો ટેકરો) નરેશભાઈ ની ખડકી, વીરજી કાકાની ખડકી ની પાટીદાર સમાજની નારી શક્તિ ભેગા મળીને ગાયત્રી મંદિરે ના ચોકમાં આયોજન કરતા નગરમાં માં અંબેની ભક્તિ એ પરિવારોની એકતા અખંડ કરી હોવાની ભાવના નગરમાં વહેતી થઈ છે.
10 окт 2024