વ્રતની વિધિ :
- અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.
- ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
- શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
- સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
- કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
- પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
- માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી.
- વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
- છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
26 сен 2024