#jaintirth
#parshwanath
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#paryushanspecial
#paryushan
#paryushan2024
#sambhavnath
#જૈનતીર્થ
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ
#સોમનાથ
પ્રભાસપાટણ
#જૈનસ્તવન
#jaintattvagyan
#padana
#halar
#jamnagar
સંભવનાથ ભગવાન
શ્રી સંભવનાથ ભગવાનનો જીવ પૂર્વના ત્રીજા ભવે ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રના ક્ષેમપુરી નગરીના વિપુલવાહન રાજા હતા. તે સર્વ પ્રકારના દુઃખ દૂર કરીને પ્રજાનું પાલન કરતો હતો. વિપુલવાહન રાજા બાર પ્રકારના શ્રાવક ધર્મમાં હંમેશા સ્થિર રહેતા હતા. તેના દ્વારે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે જતો નહિ. રાજા નીતિ પૂર્વક રાજ્ય કરતો હતો.
એક વખત ઘણો ભયંકર દુકાળ પડ્યો. દુકાળમાં ચર્તુવિધ સંઘનો ક્ષય થતો જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે આ સઘળી પૃથ્વીનું મારે રક્ષણ કરવું છે. રાજાએ રસોઈયાને આજ્ઞા કરી કે સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ. શ્રાવકો અને મહામુનિઓને કલ્પનીય આહાર મળવા લાગ્યો. રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધ ભોજન પૂરું પાડ્યું. સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવાથી તેણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
એક વખત વિપુલવાહન રાજા મહેલની અગાસી પર બેઠા હતા. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલાં અને ક્ષણવારમાં નાશ પામેલા મેઘને જોયા. સંસારમાં બીજું સર્વ પણ જોતજોતમાં નાશ પામે છે. રાજાને વૈરાગ્ય થયો. રાજાએ તેમના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભસૂરિજી પાસે દીક્ષા લીધી. વીશસ્થાનકની આરાધના કરી અને આયુષ્ય પૂર્ણ કરી નવમાં આનત નામના દેવલોકમાં દેવ થયાં.
આયુષ્ય પૂર્ણ કરી શ્રુતજ્ઞાન , મતિજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીના રાજા જિતારીની સેનારાણીની કુક્ષીએ ચ્યવન થયું. માતાએ 14 સ્વપ્ન જોયા. પ્રભુ માતાના ઉદરમાં 9 માસ અને 6 દિન રહ્યા. માગશર સુદ 14ના દિવસે પ્રભુનો જન્મ થયો. ત્યારે 56 દિકકુમારીકાઓએ આવીને સૂતી કર્મ કર્યું હતું. પછી 64 ઈન્દ્રોએ મેરુ પર્વત પર જઈને 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો.
પ્રભુની જમણી જાંઘ પર ઘોડાનું લંછન હતું. કાંચન વર્ણના અને 400 ધનુષની કાયાવાળા હતા. પ્રભુ 15 લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. પછી 44 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 3 પુત્ર હતા.
પ્રભુ 1 વર્ષ સુધી દરરોજ 1 કરોડ 8 લાખ સોનૈયાનું દાન આપે છે. શ્રાવસ્તી નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ સિદ્ધાર્થા શિબિકામાં બેસીને સહસ્રામ્ર વનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠીલોચ કરીને છઠ્ઠનો તપ કરીને 59 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષની પાછલી ઉંમરે માગશર સુદ 15ના મિથુન રાશિ અને મૃગ શીર્ષ નક્ષત્રમાં પશ્ચિમાહ્ય સમયે 1000 સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે પ્રભુને ચોથું મનઃપર્યવજ્ઞાન થયું. દીક્ષા સમયે ઈન્દ્રએ આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી શ્રાવસ્તી નગરીમાં તદભવ મોક્ષગામી સુરેન્દ્રદત્તના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પ્રથમ પારણું કર્યું. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થયા. અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
પ્રભુ દીક્ષા પછી 14 વર્ષમાં પ્રમાદ નિંદ્રા કર્યા વિના અપ્રમત્ત પણે આર્ય દેશમાં વિચરતાં શ્રાવસ્તી નગરીમાં સહસ્રામ્ર ઉધાનમાં છઠ્ઠનો તપ કરતાં સાલ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે આશો વદ 5ના દિવસે મૃગ શીર્ષ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. લોકાલોકના સર્વભાવોને જાણતાં અને જોતા થયા. પ્રભુ 18 દોષથી રહિત થયા. 8 પ્રતિહાર્ય અને 34 અતિશય યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ 4800 ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અનિત્ય ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા લીધી. તેમાં ચારુપ આદિ 102 ગણધર થયા.
પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતા કાર્યોત્સર્ગ મુદ્રામાં 1000ની સાથે ચૈત્ર સુદ 1 પૂનમના દિવસે મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ _ 4 પૂર્વાગ વર્ષનો હતો. 60 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ. પ્રભુનું પ્રાયેઃ શાસન 10 લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટ પરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્ત રાજા મૃગશેન હતા. પ્રભુની માતા મોક્ષે અને પિતા ઈશાન દેવલોકમાં ગયેલ. પ્રભુની સેવામાં ત્રિમુખ યક્ષ અને દુરિતારી દેવી યક્ષિણી નિરંતર રહે છે.
26 окт 2024