તારી જો હાક સુધી કોઈ ના આવે તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો …
જયારે કોઈ મુખ ના ખોલેઓ રે ઓ રે ઓ અભાગી ! કોઈ મુખ ના ખોલેજયારે સૌ કોઈ બેસે મુખ ફેરવી; ભયથી કાંઈ ના બોલેત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારા મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો …
જયારે સૌએ પાછાં જાય,ઓરે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણેભાઇ એકલો ધા ને રે ! - તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ,
ત્યારેં આભની વીજે, તું સળગી જઇનેસૌનો દીવો એકલો થાને રે ! - તારી જો …
મૂળ બંગાળી: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ
ગાયક: અમર ભટ્ટ
1905માં લૉર્ડ કર્ઝ્ને બંગાળના ભાગલા પાડ્યા. ત્યારે એનો વિરોધ થયો. ટાગોર એ સમયે ગિરદિહ (જે અત્યારે ઝારખંડમાં છે) હતા. એમણે દેશદાઝ જગવતાં 23 કાવ્યો લખ્યાં. એમાંનું આ કાવ્ય છે. લોકો સરળતાથી યાદ રાખી શકે માટે આ કાવ્યોના ઢાળ બંગાળી લોકઢાળ પર રાખ્યા. મહાદેવભાઈ દેસાઈએ કરેલો આ સુંદર સમગેય અનુવાદ છે. શબ્દો ગુજરાતી છે, ઢાળ બંગાળી છે.
ભારતીય વિદ્યા ભવન, ચોપાટી,મુંબઈમાં ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષ 2019માં નિરંજન મહેતા, ઉદયન ઠક્કર અને કમલેશ મોતાના સંયોજનમાં યોજાયેલ કાર્યક્રમ ‘સહજ સમાધિ ભલી’માં મેં આ રજૂ કરેલું.
અમર ભટ્ટ
20 сен 2024