મોદી સરકાર હવે રાષ્ટ્રહિન્દુ સરકાર બનાવી શકશે? કે પછી વિપક્ષ પાંચ વર્ષ સરકાર ચલાવવા દેશે ? હાલના સમયની અંદર સરકાર બચાવવા માટે અગાઉના આપણા ભારતીય જનતા પાર્ટીના સહયોગી આરએસએસ ના વડા શ્રી ભાગવત તેમજ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણ તોગડિયા સાહેબ તેમજ અન્ય દળના લોકોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. તેથી વિશેષ દરેક સાધુ સંતો ના આશીર્વાદ અપાવીને આ સરકારને બચાવવા માટે દરેક સાધુ સંતોની સલાહ સૂચન કે પછી આશીર્વાદ અને જરૂર ચોક્કસ પડશે. આજના સમયમાં હિન્દુ રાષ્ટ્રને બચાવવાની વાત તો પછી, પણ આપણી રાજગાદી બચાવવા માટે થોડું યુ ટનની ચોક્કસ પણે જરૂર છે. ગોધરા કાંડ ના સમયે અટલ બિહારી બાજપાઈ ફક્ત ને ફક્ત આપણો રાજ ધર્મ બચાવો આ અત્યારે ખાસ જરૂરિયાત છે? સાહેબ મને એ પણ ખબર છે કે એક સમયે આપણો એવો આવ્યો હતો કે ત્યારે આપણા કાર્યકર્તાઓ જો કદાચ મોદી સાહેબ સિંક ખાઈને તો તેના કણ ઉડે એ પણ શોધીને ટેબલ ઉપર મૂકી દેતા આજે ગુજરાત જિલ્લાની અંદર ખૂબ જ અસંતોષ થઈ ગયું છે. જો દેશની તાકાતવાર બનાવો હોય ને તો નારાજ થયેલા આપણા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓની સલાહ સુચન લેવી પડશે, એથી વિશેષ હું તમને એ કહેવા માગું છું કે કાયમી ના ધોરણે તમારા પડખે ઉભા રહેલાં જેને તમે આજના દિવસની અંદર નારાજગી કરી આપેલા ઓબીસી એસી ના લોકોને પ્રધાન્ય આપો અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે સહભાગીદાર બનશે અને ભવિષ્યમાં સમાજનો પણ સહકાર ચોક્કસપણે મળશે અને કોઈ પણ પક્ષ હશે આનો લેવો પડશે અને આજીવન દિવાલ બનીને ઊભો રહેશે. કારણકે આપણે દસ વર્ષ બહુમતીથી સરકાર ચલાવી પણ પાયાની સુવિધામાં એક પણ ફેરફાર કરી શક્યા નથી, સરકારે વિકાસના કામો ખૂબ જ કર્યા પણ દુઃખની બાબત એ બની ગઈ છે કે આપણા સરકારી અધિકારીઓએ ગરીબ લોકો સુધી કોઈપણ યોજના નો લાભ અપાવ્યો નથી. દરેક જગ્યા પર સામાન્ય બાબતનું કામ કરાવવું હોય તો દસ દસ ધક્કા ખવડાવીને છેવટે પૈસા વિના કોઈ કામ કર્યા જ નથી અને આપણા સરકારી અધિકારીઓને સીધો સરકાર તરફથી જાણે પરવાનગી કેમ આપી દીધી હોય એ જ રીતે દસ વર્ષની અંદર ખૂબ ખરાબ વર્તન લોકો સાથે કરવામાં આવ્યું છે અને અત્યારના સમયની અંદર ગરીબ લોકોથી માંડી સામાન્ય લોકો આ બધું જોઈ રહ્યા છે અને હવે પછીના પક્ષથી નારાજગી ન રહે તેના પણ પગલા ભરવા પડશે. એક ખાસ નોંધ પક્ષ માટે; આવનાર સમયની અંદર સરપંચ. તાલુકા. જિલ્લા. નગરપાલિકાની કે પછી અન્ય પેટા ચૂંટણીઓ ટૂંક સમયની અંદર આવી રહી છે. તમને મારે એક નમ્ર વિનંતી કરવાનું છે કે ગુજરાત અંદર કોળી સમાજની મોટામાં મોટી વસ્તીના ધોરણે ગણતરી કરવા જઈએ તો આજની તારીખમાં 45% પર જઈ રહી છે અને તેમાંથી પેટા જ્ઞાતિમાંથી 20% તો ફક્ત અને ફક્ત ચુવાળીયા કોળી છે તેની આજ સુધી ભાજપે ક્યારે નોંધ લીધી નથી હા ચોક્કસ કોળી જ્ઞાતિની જ નોંધ લેવામાં આવી છે એટલે જ ચુવાળીયા કોળી મોટાભાગે આ ભાજપ સરકાર થી નારાજગી ભોગવી રહ્યા છે. . નહિતર આ નારાજગીના ભોગ નો લાભ જે રાહુલ ગાંધી ગુજરાતની અંદર સરકાર બનાવવા માંગે છે તેના મોટા નેતાઓ ચુવાળિયા કોળીનો લાભ લેવા માટે અત્યારે થી જ ચોક્કસ કોંગ્રેસ પક્ષે ગતિમાન તૈયારી આરંભી દીધેલી છે. આ આપણા માટે સૂચક: આના માટે આટલું નહીં વિચારી શકો તો અમે પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે આવતા સમયમાં બીજેપીને ખૂબ જ તકલીફ ચોક્કસ પણે ઉભી થશે.