મણકો# 213 તા-28-7-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. કૃષ્ણકાંત બૂચ. તેમણે તેમના વક્તવ્ય દ્રારા Dementia (ચિત્તભ્રંશ) રોગ જે આપણાં મગજ સાથે સંકળાયેલો છે તેની વિસ્તૃત માહિતી આપી.આજે લગભગ એક મિલીયન લોકો તેનાથી પિડીત છે અને 2040 સુધી 1.6 મિલિયન લોકો પણ પિડીત થઇ શકે છે. આ રોગનું કોઇ ચોક્કસ નિદાન નથી.કયારેક દર્દીનું મૃત્યુ પણ થાય છે.
પ્રારંભિકમાં આ રોગના લક્ષણો અલ્ઝાઇમર જેવાં હોય છે. ડિમેન્શિયા શબ્દ લેટિન શબ્દ ડિમેન્શ પરથી આવ્યો છે. તેના ત્રણ પ્રકાર છે.
1. પ્રાથિમક ડિમેન્શિયા - જેમાં ગંભીર યાદશક્તિની ખોટ અને ભાષા પર અસર થાય છે.
2. ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા - અલ્ઝાઇમર,લુઇ બોડી, વાસ્કયુલર પ્રોગ્રેસીવ જેમાં ધમનીઓના કડકપણાં ને લીધે હ્રદયને પંપ કરવા સખત મહેનત કરવી પડે છે. હ્રદયના ધબકારા અનિયમિત થાય છે ને ઊંચા રક્તચાપની સમસ્યા થાય છે.
3. દર્દી પ્રવૃતિઓ કરવાની ક્ષમતા ગુમાવે છે .આપણું માનવ મગજ અદ્દભૂત છે.મગજમાં 100 બિલિયનથી વધુ જ્ઞાનતંતુઓ છે. મગજના Cerebrum (મોટું મગજ) - વિચાર,યાદશક્તિ, લાગણી, સ્પર્શ, શિક્ષણ, લેખન જેવા કાર્યો સાથે સંકળાયેલું છે જ્યારે cerebellum (નાનું મગજ) સ્વૈચ્છિક હિલચાલ સંતુલન માટે જવાબદાર છે. જ્યારે તેમાં કોઇ કારણસર તેની કાર્યશૈલીમાં વિક્ષેપ આવે તો વ્યક્તિ અલ્ઝાઇમર કે ડિમેન્શિયા જેવા રોગથી પિડાય છે. લગભગ 65 વર્ષની ઉંમર પછી થાય છે. હ્રદયની કાર્યક્ષમતા સાથે પણ તેનું જોડાણ છે.
નાની ઉંમરે થતો રોગ આનુવંશિક કહી શકાય . ક્યારેક ગંભીર કબજિયાતને કારણે પણ થાય છે, પણ ચોક્કસ કારણ કે નિદાન થઇ શકતું નથી. મોટાભાગના પ્રારંભિક લક્ષણોમાં યાદશક્તિ જતી રહેવી,ઉત્સાહ ગુમાવી દેવો, મધ્યમ તબ્બકામાં બેધ્યાન થવું, પુનરાવર્તીત નિવેદનો, ચિડીયાપણું, અસ્વસ્થ બનવું, ડર લાગવો જેવી બાબતો અનુભવાય છે. અંતિમ તબ્બકામાં પરિવારના સભ્યો કે સ્વને ઓળખી શકતા નથી.
વધુ ઉંઘ જ આવ્યા કરે છે.
આ રોગ માટે સાવચેતીના પગલાં રૂપે મુખ્ય પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે.
1. સ્વસ્થ આહાર
2.શારિરીક વ્યાયામ
3. હ્રદય ને વાસ્કયુલર આરોગ્યની જાળવણી
4. સામાજિક રીતે વ્યસ્ત
5. માનસિક ઉત્તેજના ટાળવી.
માનસિક પ્રવૃતિઓ જેવી કે ક્રોસવર્ડ, કોયડાઓ, સુકોડુ,અન્ય રમતો કે જે તર્કશાસ્ત્ર , ગણિત ને દ્રશ્ય કૌશ્લ્ય પર આધાર રાખતી હોય .
આભાર કૃષ્ણકાંતભાઇ માહિતીલક્ષી વક્તવ્ય બદલ
કોકિલાબહેન ને પરિવારના સભ્યોનોખૂબ ખૂબ આભાર .
--- સ્વાતિ દેસાઇ
7 окт 2024