પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના જીવન કવનને,
તેમની જ આંખો દ્વારા દર્શાવતું એક ભાવભીનું કાવ્ય,
એટલે "જ્યારે જ્યારે જોઉં"
.....................................................
Lyrics By:
Priyadarshan
Voice, Composed & Music By:
Jatin Bid [ JB-Musiclab ]
.....................................................
જ્યારે જ્યારે જોઉં, ઓળ્યું પંકજ પાંગરેલું,
ત્યારે યાદ આવે, વીરના લોચનનું જોડલું.......
નિતરતી આંખોમાંથી કરુણાની ધારા,
છલકાય ત્યારે મારા હૃદયના ક્યારા,
જ્યારે જ્યારે જોઉં, હું નિંદરમાં સોણલું........ત્યારે
સંગમે જ્યારે કાળો કેર વર્તાવ્યો,
આંસુના બે બિંદથી પ્રભુ એ એને સમજાવ્યો,
જ્યારે જ્યારે જોઉં, ઓલ્યું ચાંદલાનું માંડલું...ત્યારે
ગોશાળાએ ગાળોની વર્ષા વરસાવી,
સાગર-સા પેટમાં સહુ તેં સમાવી,
જ્યારે જ્યારે જોઉં, ઓલ્યું તારલાનું આભલું..ત્યારે
1 ноя 2021