ઇંહા મોક્ષે ગયાં..કોટી કોટી રે..
અમને પણ આશા મોટી મોટી રે..
શ્રી સિદ્ધ ગિરિરાજમાં
એક જ દિવસે
સૌથી વધુ આત્માઓ
સિદ્ધિ ગતિને પામ્યા હોય એવો
એક માત્ર દિવસ..
એટલે
આસો સુદ પૂનમ
👏 ૨૦ કરોડ મુનિ ભગવંતો સાથે પાંચ પાંડવો મુક્તિપદ ને પામ્યા...
👏 ૧૩ કરોડ મુનિ સાથે શ્રી સોમયશામુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૧૨ કરોડ મુનિ ભગવંતો સાથે શ્રી અજિત સેન મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૩ કરોડ મુનિ સાથે શ્રી ભરત મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏૧ કરોડ મુનિ સાથે શ્રી સગર મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૧ કરોડ મુનિ સાથે શ્રી કદંબ ગણધર મુક્તિપદ ને પામ્યા...
👏 ૧ કરોડ,૫૨ લાખ ૫૫ હજાર ૩૭૭ મુનિ સાથે શ્રી શાંતિનાથ ભગવાન ના સાધુ મુક્તિપદ ને પામ્યા...
👏 ૯૧ લાખ મુનિ સાથે શ્રી નારદ મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૧ લાખ મુનિ સાથે શ્રી સાહિત્યયશા મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૩૫ હજાર મુનિ સાથે શ્રી વસુદેવની પત્ની મુક્તિપદ ને પામ્યા...
👏 ૪૪૦૦ મુનિ સાથે વૈદભી મુક્તિપદ ને પામ્યા...
👏 ૧૦ હજાર મુનિ સાથે શ્રી અજિતનાથ ભગવાનના સાધુ મુક્તિપદ ને પામ્યા...
👏 ૧૪ હજાર મુનિ સાથે શ્રી દમિતારી મુક્તિપદ ને પામ્યા...
👏 ૧ હજાર મુનિ સાથે શ્રી થાવચ્ચા મુનિ મુક્તિપદ ને પામ્યા...
👏 ૧ હજાર મુનિ સાથે શ્રી શુક્રપરિવ્રાજક મુક્તિપદ ને પામ્યા...
👏 ૭૦૦ મુનિ સાથે શ્રી સુભદ્ર મુનિ મુક્તિપદ ને પામ્યા..
👏 ૫૦૦ મુનિ સાથે શ્રી શૈલકા આચાર્ય મુક્તિપદ ને પામ્યા..
👏 કુલ ૬૩ કરોડ ૪૫ લાખ ૩૨ હજાર ૩૭૭ મુનિવરો....
આસો પૂર્ણિમાના દિવસે સિદ્ધ થયા હોવાથી,
આ દિવસ નું જૈન શાશનમાં અનેરું મહત્ત્વ છે.
વળી
👏 ૧૦ કરોડ મુનિ સાથે
શ્રી દ્રાવિડજી અને શ્રી વારિ ખિલ્લજી એ
આસો સુદ પૂનમ ના એક મહિનાનું અનશન સ્વીકાર્યું હતું.
અને કાર્તિક પૂર્ણિમાને દિવસે સિદ્ધિ ગતિને પામ્યા.
ઉપરની વિગતમાં ભૂલચૂક હોય તો મિચ્છામિ દુક્કડમ્.
20 окт 2024