નિદ્રા ની સજજાય
રચના: આનંદઘન મહારાજ
સ્વર : વૃષ્ટિ શાહ (સુરત)
વેરણ નિદ્રા તું ક્યાંથી રે આવી?
સુઈ સુઈ તે સારી રાત ગુમાવી.
નિદ્રા કહે હું તો બાળી ને ભોળી,
મોટાં મોટાં મુનિને નાંખ્યા છે ઢોળી.
નિદ્રા કહે હું તો જમડાની દાસી,
એક હાથમાં મુક્તિ ને એક હાથમાં ફાંસી.
ચાલોને ચેતનજી સિદ્ધાચલ જઈએ,
આદિશ્વર ભેટીને પાવન થઇએ.
આનંદઘન કહે સુનો ભાઈ બનીયા,
આપ મૂ આપ સી ડૂબ ગઈ દુનિયા.
27 апр 2020