સંત પરમ હિતકારી સ્નેહ મિલન
- સંતો અને ભક્તો સાથે મળી ઠાકોરજીને અદભુત પ્રાર્થના કરી.
- પંચમુખી શ્રી હનુમાનજીનું પૂજન શ્રી હનુમાનજી મહારાજની ઉત્સવ મૂર્તિનું સંતો સાથે મળી ભવ્ય પૂજન - અભિષેક પૂજન કર્યું.
- સંત પૂજન આપણા દ્વારા લવાયેલા પુષ્પ હારથી ઠાકોરજી અને સંતોનું પૂજન કર્યું.
- જીવનને વધુ સુંદર બનાવવા પ્રેરણાત્મક આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
- ભક્તો દ્વારા પવિત્રતા પૂર્વક બનાવાયેલી મીઠાઈ દાદાને અન્નકૂટમાં ધારાવાઈ.
- આસવાર - બપોર - સાંજ સંતો દ્વારા બનાવાયેલો દાદાનો અદભૂત પ્રસાદ પ્રસાદ પ્રાપ્ત કર્યો
- પૂજ્ય સ્વામીજી દ્વારા હરખની ભેટ સ્વીકાર કરી.
- કિંગ ઓફ સાળંગપુર ચરણ અભિષેક પરિવાર સહિત દાદાના ચરણ અભિષેકનો લાભ પ્રાપ્ત થયો . જેની સરસ સ્મૃતિ લીધી.
- આમ વિશેષ કરીને સ્નેહ મિલન કાર્યક્રમમાં પધારેલા 1000 જેટલા ભક્તોએ દાદાના દરબારમાં કાર્યક્રમનો અદભુત ભાવપૂર્વક લાભ લીધો અને સંતો ના સાનિધ્ય માં આધ્યાત્મિક અનુભૂતિ કરી.
Shree Kashtbhanjan Dev Hanumanji Mandir - Salangpur
11 сен 2024