ગુજરાત ના ભરૂચ પાસે આવેલા અતિપ્રાચીન શ્રી કાવી તીર્થ ની ધન્યધરા ને પુનઃજાગ્રત કરવા 2 દિવસીય યુવા-મિલન "કાવી કીર્તન" તારીખ 22-23 ફેબ્રુઆરી, 2020 (શનિ-રવિ) ના સહસ્ત્રકૂટતપ આરાધક પ.પૂ.આચાર્યદેવ વિજયસંયમબોધિસૂરીશ્વરજી મહારાજા ની પાવન નિશ્રામાં યોજાઈ રહ્યું છે
'ગિરનાર ગુંજન' જેવા મોટા અને સફળ આયોજન પછીનું જૈનમ પરિવાર આયોજિત આ અદભુત આયોજન જેમાં
ભક્તિ, શુદ્ધિ , 18 અભિષેક, સામૂહિક બિયાસણા તથા જાપ, ગામ- અનુકંપા વિગેરે અનેક અવસર દરેક યુવા એ ઝીલી લઇ ખુબ મોટું પુણ્ય ઉપાર્જન કરી લેવા જેવું છે.
ગુજરાત ના કોઈ પણ શહેર માંથી યુવાનો આમ જોડાઈ શકે છે અને અમદાવાદ, સુરત અને વડોદરા થી આવા જવા ની વ્યવસ્થા ગોઠવેલ છે, માત્ર ૨૦૦/- રૂ. સાથે આવેદનપત્ર ભરી નામ નોંધાવી શકાય છે.
7 сен 2024