અમોને ખેડૂત હોવાનો ગર્વ છે અને એ જ કારણે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. હાલ ઘણાં બધા માધ્યમો હોવા છતાં ખેડૂતોને સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે અમો અનુભવી શકીએ છીએ. ખેડૂતોને પડતી મૂશ્કેલીઓના નિવારણ માટે એગ્રીબોન્ડની શરૂઆત કરેલ છે.
કૃષિ માહિતી એ અમારો કૃષિ જ્ઞાનનો ભંડાર છે જ્યાં અમે ખેતીના પડકારોને ઉકેલતા બ્લોગ્સ શેર કરીએ છીએ. ખેડૂત તાલીમ વિભાગ કોઈપણ ફી વિના કૃષિ તાલીમ પૂરી પાડે છે. પહેલા જાણો, પછી ખરીદો વિભાગ ખેડૂતોને યોગ્ય કૃષિ ઇનપુટ્સ તરફ માર્ગદર્શન આપે છે અને તેમને દિલથી બ્રાન્ડ્સ સાથે જોડે છે. અને જો આમાંથી કોઈ પણ વિભાગ તેમની સમસ્યાઓનું નિરાકરણ ન લાવે, તો પુછો પ્રશ્ન વિભાગથી ખેડૂતો વિનામૂલ્યે કૃષિ નિષ્ણાતો પાસેથી ડાયરેક્ટ માર્ગદર્શન મેળવી શકે છે. એટલું જ નહીં, ખેડૂતોના કૃષિ જ્ઞાનમાં વધારો થાય એ થકી કૃષિ પ્રશ્નોત્તરી (આપો જવાબ, જીતો ઈનામ) વિભાગમાં ખેડૂતો કૃષિ સ્પર્ધાઓમાં ભાગ લઈ સાચા જવાબોથી ઈનામો પણ જીતી શકે છે.
એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે.
સાહેબ , o 52 34 નો મગફળી માં છંટકાવ કરેલ નથી. મગફળી 90 દિવસ ની થઈ છે. તો હવે કેલ્શીયમ નાઈટ્રેટ + બોરોન જે લીકવીડ માં આવે છે. તેનો છંટકાવ કરી શકાય? અને તેનો છંટકાવ કર્યા પછી કેટલા દિવસે 0: 0: 50 નો છંટકાવ કરવો?