અહિયાં લોકવાયકા પ્રમાણે,
કાબે અર્જુન લૂંટ્યો, વોહી ધનુષ ઓર વોહી બાણ!
નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણેની અર્જુનની નમ્રતા પણ ભગવાન પાસે લૂંટાઈ ગઈ હતી!
તો હવે બે વાત થઈ કે કાબા નો ઉલ્લેખ મહાભારતમાં છે? તો જવાબ છે કાબાઓનો ઉલ્લેખ મહાભારતમાં નથી પણ મહાભારતને લગતી લોક કથાઓમાં એનો ઉલ્લેખ છે. કાબાઓનો બીજો અર્થ જે સ્થાનિક બોલીમાં વિદ્વાન કે અતિ હોશિયાર માણસોને પણ કાબા કહેવામાં આવે છે. તમારે જે લેવો હોય એ લેવાની છૂટ છે.
ઘણી ફિલોસોફી આ વાતમાં છે.
૧.ભગવાનને છોડો તો તમારી દશા અર્જુન જેવી થાય!
૨. સમય બળવાન છે, આજે જે છે એ કાલે નહીં હોય!
૩. મોટાં સલાહ આપે ( આ વાર્તામાં નારદજી) તો એમાં કંઇક દમ હોય!
૪. ભગવાન મનુષ્યરૂપે હોય તો પણ જાણ્યા પછી એનામાં મનુષ્યભાવ ન જાણવો!
૫. ભગવાનની શક્તિને under estimate નહીં કરવાની!
૬. હંમેશા પોતાની તાકાત પર મુસ્તાક નહીં રહેવાનું.
૭. પોતાનાં સ્વાર્થ માટે ભગવાનને મૂકી ન દેવા.
બસ, આ સિવાય બીજો સારો જવાબ સૂઝતો નથી. આ વાર્તા મેં બનાવેલી નથી પણ લોક કથાઓમાં સાંભળેલી અને વાંચેલી છે અને એ અહિયાં કોપી પેસ્ટ કરી છે.
ઘડી પલ કી ખબર નહીં, કરે કલ કી બાત, જીવ ઉપર જમડા ફરે,જેમ તેતર ઉપર બાજ…. બસ આ જ સત્ય છે.
Explore a collection of stories that uplif spirits, ignite determination, and guide you towards success. Discover valuable life lessons, cultivate a positive mindset, and empower yourself to overcome obstacles. Let these stories inspire you to chase your dreams, believe in yourself, and make a difference in your life and the lives of others.
#motivation #gujaratimotivationquotes #gujarati #gujaratidayro
4 окт 2024