માતૃભક્ત મહાવીર
સંતાનો માતા-પિતાના ઉપકારોનું સ્મરણ કરે, એમના હ્રદયની લાગણીઓને સમજે અને અનન્ય ઉપકારી એવા માતા-પિતા પ્રત્યે ભક્તિભર્યો સમર્પણ ભાવ કેળવે તેમજ માતા-પિતા પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને કર્તવ્યોને સમજી બાળકો માટે રોજ થોડો સમય ફાળવે અને એ પુણ્યશાળી બાળકો પ્રત્યે સ્નેહ અને વાત્સલ્યનો ધોધ વહાવે તો ઘરઘરમાં ઉભા થતા ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ આજે જ ઉકલી જાય.
આ વાતને અનેક દાખલાઓ સાથે હ્રદયદ્રાવક શૈલીમાં થયેલું અને પ્રભુ મહાવીરના પ્રથમ જીવન સંદેશને રજૂ કરતું એક મનનીય પ્રવચન.
પ્રવચનકાર : વિદ્વાન મુનિરાજ શ્રી જિનચંદ્રજી મહારાજ (બંધુત્રિપુટી)
12 сен 2024