રથિકા ગણેશ ઉત્સવ 2023
વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ દ્વારા
રથિકા ગણેશ ઉત્સવ તા:19/09/2023 થી 28/09/2023 સુધી આયોજન કરવામાં આવ્યુ છે.
આ આયોજનનું આકર્ષણ રથ પર બિરાજેલ ગણેશજી છે, અને તેમના સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે.
આ મુર્તી જામનગર ના તમામ પંડાલો થી મોટી મુર્તી છે, 12ફુટ ઉંચી ને 14ફુટ પહોડી છે..આ મુર્તી મહાભારતા ના પ્રસંગો ની યાદ અપાવે છે.
આ મહાકાય ગણેશ પંડાલ જે 20,000 ચો. ફૂટ જગ્યામાં પથરાયેલ છે જેની ડિઝાઇન વાત્સલ્યધામ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન ભાસ્કરભાઇ રાઠોડે કરેલ છે, તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા પંદર દિવસ થી મુર્તી ને સજાવટની તૈયારી કરી રહ્યા હતા.
સવારે 8.30 અને સાંજે 8.35 સમયે આરતી નું આયોજન થશે..
વિશેષ દરેક દિવસ ની આરતી કંઇક વિશેષ હશે, જેમા દશા આરતી, અને મહાઆરતી 108 દિપ (45મીનીટ લાઇવ) ની આકર્ષણ બનશે.
રોજ રાત્રે પધારેલ મહેમાનો અને વડીલો આનંદ ઉલ્લાસ સાથે, ડી.જે.સંગ રાસ ગરબા ની મોજ કરશે.
અહીં આવનારા દરેક મહેમાનો માટે રોજ અવનવા પ્રસદની વ્યવસ્થા છે.
પહેલાજ દિવસે, આરતી દર્શન સાથે સાથે અસંખ્ય યુવા વર્ગે રથિકા ગણેશ જોડે સેલ્ફી લીધી, તો દરેક લોકો એ પરીવાર સાથે ફોટો લેવાની લાઇન લગાવી, અને આજના નવયુવાનો એ બાપા જોડે રીલ્સ બનાવી.
તો આપ પણ જરૂર પધારશો અને જામનગર ની સૌથી મોટા પંડાલ અને સૌથી મોટી મૂર્તિના દર્શનનો લાભ લેવાનું ચુક્સો નહિ.
- વાત્સલ્યધામ મેનેજમેન્ટ
15 сен 2024