👌🟢 અધ્યાત્મસાર પ્રવચન- 8
પ્રવચનકાર: પ્રશમરસનિધિ પપૂ.આ.ભ.શ્રીમહોદયસાગર સૂરીશ્વરજી મ.સા.તા.29.7.24. દેવલાલી*.
🟩💥💚. *ધ્યાનની ધૂન જેના ઉપર સવાર થઈ એને પ્રણયની પણ ધૂન સ્પર્શી શક્તિ નથી. એવો એ પુરુષ પરમ આત્મ તૃપ્ત હોય છે. પરની હુંફની એને લગીરે જરૂરત રહેતી નથી*.
👌🙏🟢 ધ્યાની નર જગત સમક્ષ કે પરિવાર જનો સમક્ષ કોઈ અપેક્ષાથી હાથ લંબાવતો નથી. એનું અંતર દારિદ્ર્ય સાવ નિર્મૂળ થઈ ચૂક્યું હોય છે. સમ્રાટને શર્માવે એવી એની નૈસર્ગિક ખુમારી હોય છે. કોઈ દુર્લભ સંતોષની પ્રગાઢ છાયા એના અંતરમાં છવાયેલી રહે છે
7 сен 2024