રાજકોટના યુવરાજ માંધાતાસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહની રણજીત વિલાસ પેલેસ ખાતે સગાઈ વિધી યોજાઈ હતી.. આ સમયે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દેશના જુદા જુદા રાજયોમાંથી ભુતપૂર્વ રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતાસિંહ જાડેજાના પુત્ર જયદીપશસહ જાડેજાની રણજીત વિલાસ પેલેસ ખાતે સગાઇ વિધી કરવામાં આવી હતી..આ પ્રસંગે સમગ્ર દેશભરમાંથી રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.. રાજકોટના યુવરાજ માંધાતાસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાની સગાઇ રાજસ્થાનના ડુંગરપુરના રાજવી હષૅવઘનસિંહની દીકરી શિવાત્મીકા કુમારી સાથે કરવામાં આવી છે.. આ પ્રસંગે તરણેતરના રાસ અને સૌરાષ્ટ્રના જુદા જુદા રાસ પણ યોજવામાં આવ્યા હતા.
12 дек 2013